Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાવળાપુરની મોટી કેનાલ નજીક કારે બાઇકને હડફેટે લેતા એકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: એકની હાલત ગંભીર

 રાવળાપુરા: ગામની મોટી કેનાલ પાસે કારે બાઈકને ટક્કર મારતાં એકનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે બીજાને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આણંદ રૂરલ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર નરસંડા ગામે રહેતા સુભાષભાઈ દાઉદભાઈ મકવાણા (ઉ. વ. ૫૦, રે. ભુમેલ)તેમજ વિજયભાઈ ઘનશ્યામભાઈ જાની (ઉ. વ. ૪૫, રે. નરસંડા) બાઈક નંબર જીજે-૭, બીએસ-૮૭૫૭ લઈને નેેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા રાવળાપુરા કેનાલ પાસેથી સાંજના પાંચેક વાગ્યાના સુમારે પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી નિશાન માઈક્રો કાર નંબર જીજે-૭, બીબી-૭૫૫૫ના ચાલકે ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાયા હતા જેમાં સુભાષભાઈને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ થતાં તેમનું મોત થયું હતુ જ્યારે વિજયભાઈને ઈજાઓ થવા પામી હતી. 

(5:27 pm IST)