Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સુરવાડા ગામમાં સામાન હટાવવા બાબતે મહિલાને માર મારતા ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરવાડા ગામમાં સામાન હટાવવા બાબતે ઝઘડો થતા એક મહિલાને માર મારતા ત્રણ ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

 આ  અંગે મળતી વિગત મુજબ કરજણ તાલુકાના સુરવાડા ગામના મહાદેવ ફળિયામાં રહેતા જશોદાબેન સૂર્યપ્રકાશ રઇજીભાઇ પરમારના ઘરની સામે રહેતા નરેન્દ્રસિંહ ભીખાભાઇ પરમાર વિમલ દિલીપસિંહ માંગરોલા તેમજ નરેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમાર તમામ રહે. સુરવાડા નાઓએ આવી જશોદા બેનને ગમે તેમ ગાળો બોલી જશોદાબેનના ઘર આગળ આવી આરોપીઓનું નવું ઘર બનતું હોય જશોદાબેનના ઘરનો સામાન આરોપીઓની જગ્યામાં હતો.

તે સામાન તે જગ્યાએથી જશોદા બેનને હટાવી લીધો હોવા છતાં નરેન્દ્ર ભીખા પરમાર ગમે તેમ ગાળો બોલતો હોઇ જશોદાબેને ગાળો કેમ બોલો છો કહેતા નરેન્દ્ર ભીખા પરમારે તેમજ વિમલે પણ ગમે તેમ ગાળો બોલી તેઓના હાથમાં રહેલી લાકડીની એક ઝાપટ જશોદાબેનના નાક ઉપર તેમજ બીજી ઝાપટ મોઢા ઉપર મારી દીધી હતી તેમજ નરેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમાર ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી જશોદાબેનને પકડી ગડદાપાટુનો માર મારતા જશોદાબેનની બૂમાબૂમ સાંભળી તેઓનો પુત્ર કરણે વચ્ચે પડી છોડાવવા જતાં તેઓની વિમલે ફેંટ પકડી અને ફેંટ છોડતા ન હતા તેમજ નરેન્દ્ર ભીખા પરમાર તેમજ નરેન્દ્રસિંહ ભગવાન પરમારનાઓ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બનાવ સંદર્ભે જશોદાબેને ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:41 pm IST)