Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

''રાજકિય ખળભળાટ'' ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપત વસાવા પાસે ૧૧૬ કરોડની બેનામી સંપતિ હોવાનો આક્ષેપઃ નિવૃત IAS જગતસિંહએ કરેલી અરજીને ધ્યાને લઇ તાત્કાલિક કાર્યવાહી કરવાનો ACBને હાઇકોર્ટનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કેબિનેટ મંત્રી ગણપત વસાવા પાસે આવક કરતા વધુ સંપતિ હોવાની નિવૃત IAS જગતસિંહ વસાવાએ કરેલી અરજીને ધ્યાને લઇ હાઇકોર્ટએ એન્ટી કરટશન બ્યુરો (ACB)ને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

આદિવાસી વિકાસ મંત્રી ગણપત વસાવા પાસે ૧૧૬ કરોડની બેનામી સંપતિ હોવાનો આક્ષેપ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

હાઈ કોર્ટે સમગ્ર મામલે ગત 4 મેના રોજ આદેશ આપ્યો હતો, જે અંગેની જાણ ACBને 28મી મેએ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમાં આગળ કોઈ કાર્યવાહી થઈ હોવાનો આક્ષેપ ફરિયાદી જગતસિંહ વસાવાએ કર્યો હતો. સમગ્ર મામલે અરજદાર જગતસિંહે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ગત 24મી માર્ચે એક અરજી કરી હતી, જેમાં મંત્રી ગણપત વસાવા અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની ધારા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી, પરંતુ અરજીને ધ્યાને લેવામાં આવી હોવાથી જગતસિંહે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

તેમના એડવોકેટ અંકિત પંડ્યાના જણાવ્યા મુજબ ગણપત વસાવા વિરુદ્ધ ACBમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. સમગ્ર વિવાદમાં કોગ્નિઝેબલ ગુનો બનતો હોવા છતાંય ACB દ્વારા ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈ કોર્ટે 24મી માર્ચે કરાયેલી અરજીને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, ગણપત વસાવાના વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણી માટેના સોગંદનામાનું મૂલ્યાંકન કરતાં તેમની સંપત્તિ તેમની આવક કરતાં વધારે લગભગ 77 કરોડ હોવાનું જણાય છે. સિવાય તેમનાં પત્ની નીલમ વસાવા તથા અન્ય લોકો સામે પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ.

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નિવૃત્ત આઈએએસ અધિકારી જગતસિંહે કહ્યું હતું કે, ‘ગણપતસિંહ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા બાદ તેમણે ભ્રષ્ટાચાર કરવાનું શરૂ કર્યું હતું. વિધાનસભા ચૂંટણી વખતે તેમણે આપેલા સોગંદનામામાં તેમણે રૂ. 3 કરોડની સંપત્તિ બતાવી હતી, પણ તેઓ 77 કરોડની સંપત્તિ અને 116 કરોડની બેનામી સંપત્તિ ધરાવતા હોવાના મારી પાસે દસ્તાવેજી પુરાવા છે. તેમની પાસે 16.44 લાખની તો કાર છે, પણ તેમણે એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો. તેમના પુત્ર પ્રદ્યુમન જમીનના માલિક છે, પણ તેમની આવક બતાવાઈ નથી. 2014માં ગણપત વસાવાની આવક 12 લાખ રૂપિયા હતી અને તે વર્ષે તેમણે ભરૂચમાં 69 રૂપિયાની કિંમતમાં ચાર દુકાનો ખરીદી હતી. ડાંગમાં એક હોટેલમાં તેમની કરોડો રૂપિયાની ભાગીદારી છે.’ સિવાય નિવૃત્ત આઈએએસ અધિકારીએ કહ્યું છે કે, ‘ગણપતસિંહના નામે 12 બેંક એકાઉન્ટ છે, જ્યારે તેમનાં પત્નીના નામે બેંક એકાઉન્ટ તથા તેમને ત્રણ ડિપેન્ડેન્ટ છે. મેં આવકવેરા વિભાગને વિશે લેખિતમાં જણાવ્યું હતું, પણ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ગણપતસિંહ વસાવા, તેમનાં પત્ની અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, પણ તેમની સામે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહિ.’ બીજી તરફ અંગે એસીબીના ડિરેક્ટર કેશવ કુમાર સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.

ગણપત વસાવા પાસે પર્યટન, વન, મહિલા અને બાળ વિભાગનો હવાલો છે. તેમણે જગતસિંહના આક્ષેપો ફગાવતા કહ્યું છે કે, ‘જગતસિંહ કોંગ્રેસના એજન્ટ છે. તેઓ મારી સામે ત્રણ વાર ચૂંટણી લડી ચૂક્યા છે, પણ તેમાં તેમની હાર થઈ હતી અને તેમણે ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી. હું છેલ્લાં 20 વર્ષથી નિયમિત ઇન્કમટેક્સ રિટર્ન ભરું છું. હું કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. હજી સુધી કોઈ પણ તપાસ એજન્સીએ જગતસિંહના આક્ષેપો સંદર્ભે મારી પાસે સ્પષ્ટીકરણ માગ્યું નથી.’

(8:47 pm IST)