Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

આનંદના સામરખા ગામ નજીક રીક્ષા પલ્ટી ખાતા એકનું મોત

આણંદ: સામરખા ગામે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી પીયાગો રીક્ષા પલટી મારી જતાં એકનું મોત થયું હતુ જ્યારે બીજાને ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવવામાં આવી રહી છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર આયશાપાર્ક સોસાયટીમાં રહેતા સમીરભાઈ વ્હોરાના પિતા હસનભાઈ તથા મામા સીરાજભાઈ ગઈકાલે રાત્રીના સુમારે ઈદનો તહેવાર હોય ભાલેજ જવા માટે એક પીયાગો રીક્ષા નંબર જીજે-૦૭, ટીટી-૩૬૨૫માં સવાર થઈને જઈ રહ્યા હતા. રીક્ષા સાડા નવેક વાગ્યાના સુમારે સામરખા પાસેથી પસાર થતી હતી ત્યારે એકાએક પલટી મારી જતાં હસનભાઈ (ઉ. વ. ૬૭)તથા સીરાઝભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હસનભાઈનું વહેલી સવારે સારવાર દરમ્યાન મોત થયું હતુ. 

(7:59 pm IST)