Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા પ્રભાવિત ઉના,જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું આવતીકાલે સવારે હવાઇ નિરીક્ષણ કરશે

મુખ્યમંત્રી ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે તા. 20મી મેના રોજ તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.

  મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે  વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે.
આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે  બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.

(7:28 pm IST)