Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અંબાજી મંદિર ર૧ મે સુધી બંધ રહેશે

પાલનપુરઃ કોરોનાને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર તા.ર૧ સુધી બંધ રહેશે આ અગાઉ ૧૮ મે સુધી બંધ રાખવાનો આદેશ હતો.

રાજય સરકાર તરફથી જાહેર ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે આગામી ર૧ મે સુધી અંબાજી મંદિર અને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રીકો માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. પણ આ દરમિયાન મંદિરના પૂજારી પહેલાની જેમાં  પૂજા-અર્ચના-આરતી કરતા રહેશે. નવા આદેશ મુજબ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સંચાલીત મૂળ શકિત પીઠ ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ અને અંબિકા ભોજનાલય ર૧ મે સુધી બંધ રહેશે.

(1:02 pm IST)