Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજપીપળાના રોહિતવાસ વિસ્તાર પાસે કરંટ લાગતા ગાયનું મોત થતા સ્થાનિકોમાં ભારે રોષ : વીજ કંપની કે પાલીકાની બેદરકારી.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના રોહિતવાસ વિસ્તારમાં સવારે એક વીજ પોલ તથા ઝાડ તૂટી પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો જેમાં સ્થાનિક બાળકો નો આબાદ બચાવ થયો હતો અને એક બાઈક ઉપર વીજ પોલ પડતા નુકશાન થયું હોય તાબડતોબ વીજ કંપની એ લાઈન બંધ કરી હોવા છતાં સાંજે 6 વાગે ત્યાં ડીપી પાસે ફરતી એક ગાય ને કરંટ લાગતા તેનું મોત થયું હોવાથી સ્થાનિકોમાં ફફડાટ સાથે ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આ વિસ્તારમાં કરંટ બંધ કર્યો હોવા છતાં ગાય ને કરંટ કેવી રીતે લાગ્યો..? શુ લાઈન બંધ કરી ન હતી.? જેવા સવાલો સ્થાનિકો માં ઉઠ્યા હતા.ગાયના મોતથી ગૌ રક્ષકો માં પણ ભારે રોષ ફેલાયો છે

(10:32 pm IST)