Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે ૨૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૯૨૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં કોવિડ હોસ્પિટલ ૦૧, રાજપીપળા ૦૧, મચ્છી માર્કેટ ૦૧ તથા નાદોદ તાલુકામાં સુંદરપુરા ૦૧, નાવરા ૦૧, સિસોદ્રા ૦૧, ટંકારી ૦૧, તરોપા ૦૧, કરાઠા ૦૧, ઓરી ૦૧, પાટણા ૦૧, વડીયા ૦૧, રાણીપરા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ભીલવસી ૦૧, કેવડિયા ૦૧, વાઘપુરા ૦૧, કારેલી ૦૧, ખડગદા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં તિલકવાડા ૦૧, સેવાડા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં કુકરદા ૦૧ તથા સાગબારા તાલુકામાં ટાવલ ૦૧, સાગબારા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૩ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૫૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૬૫ દર્દી દાખલ છે આજે ૨૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૬૦૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૯૨૫ પર પહોચ્યો છે.આજે વધુ ૯૨૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:30 pm IST)