Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલનો વડોદરા મોકલાયેલો નર્સિંગ સ્ટાફ આખરે રીલિવ કરાયો : વેન્ટીલેટર પણ પરત આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને વેન્ટિલેટર વડોદરા મોકલાયા બાદ રાજપીપળા કોવિડ માં અનુભવી સ્ટાફની અછત પડતા ઘણા દર્દીઓના મોત થયા બાદ ઓહાપોહ થયો ત્યારે એમ પણ જાણવા મળ્યું કે વડોદરા ના કેટલાક જવાબદાર અધિકારીઓ બીજો સ્ટાફ મોકલો તો અગાઉના સ્ટાફ ને રીલિવ કરીશું તેવી વાત કરતા મામલો ગરમ થયો હતો જેથી સાંસદ મનસુખ ભાઇ વસાવા એ ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને પત્ર લખ્યો તેમજ અચાનક કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લઈ સ્ટાફ બાબતે કેટલાક જવાબદાર અધિકારીઓ નો ઉધડો પણ લીધો હતો ત્યારબાદ 1 લી એપ્રિલ થી વડોદરા મોકલેલો નર્સિંગ સ્ટાફ 17 એપ્રિલે સાંજે રીલિવ કરતા રાજપીપળા આવી ગયો છે અને વેન્ટિલેટરો પણ પરત રાજપીપળા મોકલતા રાહત થઈ હતી.

(11:04 pm IST)