Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

તારાપુર-ફતેપુરા નજીક તસ્કરો દ્વારા વીજ લાઈનના વાયરોને કાપીને 47 લાખનું નુકશાન કરાતા પોલીસ ફરિયાદ

તારાપુર: તાલુકાના ફતેપુરા અન વાળંદાપુરા ગામે કોઈ તસ્કરો દ્વારા હાઈટેન્શન વીજ લાઈનના વાયરો કાપીને ૪૭ લાખ ઉપરાંતનું નુકસાન કરવામાં આવતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર સોજીત્રા તાલુકાના કાસોર ૪૦૦ કેવી સબસ્ટેશનમાંથી તારાપુર થઈને અમરેલી સુધી નવી વીજલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે એસ્ટર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગત ૫મી તારીખના રોજ રાત્રીના સુમારે ફતેપુરા ગામની સીમમાંથી પસાર થતી આ હાઈટેન્શન વીજ લાઈન તેમજ ૯મી તારીખના રોજ વાળંદાપુરા ગામેથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના વાયરો કોઈ તસ્કરો દ્વારા કાપી નાંખવામા ંઆવ્યા હતા. જેની અંદાજીત કિમત ૪૭ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. 

(6:05 pm IST)