Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

નડિયાદમાં રેલવે સ્ટેશન નજીક 32 વર્ષીય યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા તપાસ શરૂ

નડિયાદ: નેરોગેજ રેલવે લાઈનના પ્લેટફોર્મ નજીકથી પોલીસને આજે એક અજાણ્યાં ૩૨ વર્ષીય યુવકની લાશ મળી આવી છે.તેના જમણા હાથમાં રણજીત કોતરાવેલુ છે. કોઈપણ રીતે આ યુવક મોતને ભેટ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નડિયાદ રેલવે પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે નડિયાદ સિવિલમાં મોકલી છે અને તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. 

(6:01 pm IST)