Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સુરતના કતારગામમાં 10 વર્ષીય નેપાળી બાળક ગૂમ થતા 17 વર્ષ પછી માતા-પિતા સાથે મિલન થયું

સુરત:કતારગામના ચિલ્ડ્રન હોમમાં રહેતા છેલ્લા સાત વર્ષથી રહેતા નેપાળી બાળકના પિતાને શોધવા માટે ભારે જહેમત ઉઠાવ્યા બાદ તેના પિતા અંકલેશ્વરમાં જ નોકરી કરતા હોવાનું માલુમ પડતા તપાસના અંતે સાત વર્ષ પછી માતા-પિતા સાથે પુત્રનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

કતારગામના બાળ સંભાળ ગૃહમાં નાગેન્દ્વ ગોપાલ પ્રસાદ સારપોડા નામનો નેપાળી બાળક ૧૧-૭-૨૦૧૨ થી રહેતો હતો. બાળકને તેના ફોઇ, ફુઆ સારસંભાળ અર્થે મુકી ગયા હતા. ત્યારે તેની ઉંમર અંદાજે ૧૦ વર્ષની હતી. શરૂઆતમાં તેના ફોઇ-ફૂઆ સમયાંતરે મળવા આવતા હતી. પરંતુ અચાનક એક વર્ષ બાદ તે આવતા બંધ થઇ જતા બાળકનો સંસ્થામાં ઉછેર થયો.

(5:58 pm IST)