Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અમદાવાદના વટવામાં ટ્રેનની હડફેટે કોન્સ્ટેબલનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ: વટવામાં રોપડા બ્રિજ નજક ટ્રેનની અડફેટે આવી જતા પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જોકે આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગે વટવા પોલીસ તપાસ કરી રહી છે. વટવામાં ૧૭ જાન્યુઆરીના રોજ રાત્રે ૯ વાગ્યે રોપડા બ્રિજ નજીક પોલીસ કોન્સ્ટેબલ લખધીરસિંહ મહિપતસિંહ હોગિલ (૩૧)નું ટ્રેન અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વટવા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.એચ.વી.સીસારાના જણાવ્યા મુજબ લખધીરસિંહ ગોહિલ છેલ્લા સાડા ત્રણ વર્ષથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. રાત્રે તેઓ બાઈક લઈને રોપડા બ્રિજ ગયા હતા. બાદમાં આ અકસ્માત થયો હતો. ફોન પર વાત કરતી વખતે સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેન આવી જતા અક્સામચત થયો હોવાની શક્યતા છે. તેમનું બાઈટ રેલ્વે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. રેલવેના ગાર્ડ દ્વારા બનાવ અંગે વટવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(5:57 pm IST)