Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચૂંટણી બાદ ભાજપની સરકાર નહી આવે: બીજેપીની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે:શંકરસિંહ વાઘેલા

ચૂંટણી બાદ ભાજપની સરકાર નહી આવે: બીજેપીની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે:શંકરસિંહ વાઘેલા

અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક કબ્જે કરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા દ્વારા જુદા જુદા વિસ્તારમાં સભાઓ કરવામા આવી રહી છે.ત્યારે એનસીપીની નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સીજે ચાવડાને સમર્થન જાહેર કર્યું હતું. અને સીજે ચાવડા માટે પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે આવતી ચૂંટણી બાદ ભાજપ સરકાર નહી આવે. ભાજપની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે.

   ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિતભાઈ  શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમિતભાઈ શાહના વિરુદ્ધમાં  પ્રચાર કર્યો હતો. સી.જે.ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ આજે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા આજે પ્રથમ સભામાં જોવા મળ્યા હતા.  રાજ્યમાં કોંગ્રેસ અને NCPનુ હજી સુધી ગઠબંધન થયુ નથી. ત્યારે હવે શંકરસિંહ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

(1:09 am IST)