Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અમદાવાદની જેલમાં કેદીનું મોત થતા માનવ અધિકારની કોર્ટમાં પ્રથમ કેસ નોંધાયો

રાજકોટઃ સાબરમતી જેલમાં પાકા કામના કેદીનું મોત થયા બાદ આ મામલે કેદીના શરીર ઉપર માર માર્યાના નિશાન મળી આવતા પરીવારજનોએ માનવ અધિકાર કોર્ટમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે અમે લોકો કેદીને મળવા ગયા ત્યારે જેલ અધિકારીએ મળવા દીધા ન હતા. આ મુદ્દે માનવ અધિકારની કોર્ટમાં પ્રથમ કેસ નોંધાયો છે અને કોર્ટે સાબરમતી જેલ અધિકારી તરીકે આઇજીપી, સુપ્રિ. સહીતનાને હાજર રહેવા આદેશ કર્યો છે.

(7:37 pm IST)