Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પ્રાંતિજમાં દબાણ દૂર કરીને પાલિકાની જગ્‍યા ઉપર આંગણવાડી બનાવાશેઃ દબાણકારોને નોટિસ

પ્રાંતિજઃ પ્રાંતિજની રબારી કોલોની ખાતે તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવ્યું હતુ. નગરપાલિકાની જગ્યા ઉપર કરવામાં આવેલુ દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યું હતુ. તો પશુઓના શેડ હટાવવા માટે બે દિવસની મુદત આપી છે. પાલિકાની જગ્યા ઉપર આવનાર દિવસોમાં આંગણવાડી બનાવવાની છે.મામલતદાર દ્વારા પશુ સહિત શેડ બે દિવસમાં ખોલી લેવા માટે દબાણકારો પાસે લેખિતમાં  બાંહેધરી લીધી હતી. તંત્ર દ્વારા દબાણકારોને બે દિવસની મુદત આપવામાં આવી હતી.મામલતદાર તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(6:25 pm IST)