Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, અમેરીકા ખાતે ઉજવાશે દ્વાદશ જ્યોતિર્લીંગ પ્રતિષ્ઠા મહોત્સવ

અમેરિકા તા. ૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે આગામી થી એપ્રિલ દરમિયાન દ્વાદશ જ્યોતિર્લીંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે ખાસ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સવાનાહ પધારતા ભક્તજનોએ ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

સનાતન મંદિર ખાતે વિશાળ સરોવર આવેલ છે. સરોવરની મધ્યમાં ટાપુ ઉપર ભગવાન ભોળાનાથના બાર સ્વરૂપો કે જે દ્વાદશ જ્યોતિર્લીંગ સ્વરૂપે ઓળખાય છે તે બિરાજશે. સાથે સાથે અતિ રમણીય અને કુદરતી વાતાવરણમાં તૈયાર થયેલ ટાપુ ઉપર ભગવાનના વિવિધ અવતાર સ્વરૂપો પણ દર્શન આપશે. અમેરિકાની ધરતી ઉપર રીતે એક જગ્યાએ દ્વાદશ જ્યોતિર્લીંગની સ્થાપના અજોડ ઘટના છે.

પૂજ્ય સ્વામીજી તથા સંતોની ઉપસ્થિતિમાં ઉજવાનાર મહોત્સવમાં કથાની સાથે સાથે અનેક આયોજનો કરવામાં આવ્યા છે. મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમેરિકા નિવાસી ભક્તો ઉત્સાથી તન-મન-ધનથી સેવામાં જોડાઈ રહ્યા છે.                                                                      

(12:11 pm IST)