Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રતનપુર પાટિયા નજીક સર્જાયેલ અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત

ખેડા:નજીક આવેલા રતનપુર પાટિયા તેમજ નડિયાદ મિશન રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં બે જણાને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા પરા દરવાજામાં રહેતા અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલનો દીકરો ગઈકાલે સાંજે મોટર સાયકલ નં. જીજે ૦૭ બીજી ૭૧૫૨ લઈ વિદ્યાનગરથી ખેડા તરફ જઈ રહ્યો હતો. ત્યારે રતનપુર પાટિયા નજીક મોટર સાયકલ સામેથી આવતાં મોટર સાયકલ નં. જીજે ૨૭ બીબી ૫૪૭૪ સાથે અથડાવી હતી જેથી બાઈક ચાલકને ઈજા થઈ હતી. આ બનાવ અંગે અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતનો બીજો બનાવ નડિયાદ મિશન રોડ ઉપર સર્જાયો હતો. જેમાં એક્ટિવા નં. જીજે ૭ એએલ ૪૬૧૭ લઈને કેસરીસિંહ રામસીંગ મહિડા (રે. નવાગામ, તાળસી), પોતાનું મોટર સાયકલ નં. જીજે ૭ સી એચ ૧૨૨૫ હંકારી જઈ રહ્યા હતા. ત્યારે એન્ટીવા નં. જીજે ૭ એએલ ૪૬૧૭ એ મોટર સાયકલ સાથે અથડાવતા કેસરીસિંહ તેમજ ઘનશ્યામભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે કેસરીસિંહ રામસિંહ મહિડાની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:45 pm IST)