Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કાલે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ આવશેઃ નારણપુર વોર્ડમાં કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન કરશેઃ ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચેની મેચની મજા માણશે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે નારણપુરા વોર્ડ ખાતે મતદાન કરશે. તે બાદ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં યોજાનાર મેચની મજા પણ માણશે. મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્દઘાટન કરશે.

મોટેરા સ્ટેડિયમમાં ઉદ્દઘાટન કરશે

અમિત શાહ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. અમિત શાહ અવાર નવાર પોતાના કામમાંથી સમય કાઢીને મતદાન કરવાની પોતાની ફરજ ક્યારેય ભૂલતા નથી.

અમિત શાહ અત્યારે બંગાળના પ્રવાસે અતિ વ્યસ્ત છે તેમ છતાય તેમાંથી સમય કાઢીને તે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા આવવાના છે. આ સિવાય અમિત શાહ મોટેરાના નવનિર્મિત સ્ટેડિયમની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરશે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ 2 ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમવાનું છે.

(4:53 pm IST)