Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઉમરેઠના ભાલેજ નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.18 લાખની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂા..૧૮ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ભાલેજ પોલીસે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની અમીના રેસીડેન્સીમાં ફિરોઝભાઈ અહેમદભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઈ ગત તા.૧૪મી ફેબુ્રઆરીના રોજ તેઓ પોતાના મકાનને તાળુ મારી લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમ્યાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂા..૧૮ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા

(5:56 pm IST)