Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આણંદમાં અગાઉ ભરબપોરે સબજેલમાંથી ગાર્ડની બેદરકારીનો લાભ લઇ કાચા કામનો કેદી ફરાર: તજવીજ હાથ ધરાઈ

આણંદ: શહેરની સબજેલમાંથી સપ્તાહ પહેલાં ભરબપોરના સુમારે પોલીસ ગાર્ડની બેદરકારીનો લાભ લઈને ફરાર થઈ ગયેલો બળાત્કારના ગુનાનો કાચા કામનો કેદી હજી સુધી હાથમાં આવ્યો નથી. સમગ્ર પ્રકરણમાં નિષ્કાળજી દાખવનાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ઘરાઈ છે. જેલતંત્ર દ્વારા રીપોર્ટ આવ્યા બાદ સસ્પેન્શનની કાર્યવાહી હાથ ઘરાશે તેમ કહેવાઈ રહ્યું છે. 

વહેરાખાડી ગામના મોટુ ફળિયામાં રહેતો જશવંતભાઈ જીવાભાઈ પરમાર (ઉ. વ. ૨૬)સને ૨૦૧૫માં ગામની જ એક સાડા સોળ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. જે ગત ડિસેમ્બર-૨૦૧૮માં પેટલાદ તાલુકાના અગાસ-બોરીયા ગામના કમલેશભાઈ શાંતિભાઈ પટેલના ખેતરમાંથી ઝડપાતો અને તપાસ પુરી કર્યા બાદ તેને આણંદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

 

(5:42 pm IST)