Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સુરતના લાજપોરમાં હત્યાના ગુનાહના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડાયો

સુરત: શહેરના સચિનના લાજપોર ખાતે સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કેદી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે સંબંધી તેને જેલમાં મળવા આવતા ન હોવાથી ટેન્શનમાં આવી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચિનના લાજપોર ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં બેરેકમાં રહેતા ૬૦ વર્ષીય રાજુભાઈ મઘનારીએ ગઈકાલે સવારે બેરેકમાં મોઢા પર ગંજી મૂકી સળગાવી દીધી હતી. જેથી તે દાઝી જતા સારવાર માટે જેલના તબીબ પાસે ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે આજે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

(5:30 pm IST)