Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો : લાખણી, ડીસા , અને ધાનેરા પંથકમાં વરસાદી છાંટા :ખેડુતો ચિંતિત

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી રાયડો, જીરું, ઇસબગુલ અનેબટેટાના પાકને નુક્શાનની ભીતિ

બનાસકાંઠામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને  કેટલીક જગ્યાએ કમૌસમી છાંટા પડતા ખેડૂતો પાકને લઈ ચિંતિત બન્યા છે બનાસકાંઠાના લાખણી , ડીસા, અને ધાનેરા પંથકમાં કમોસમી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

  કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી રાયડો, જીરું, ઇસબગુલ અને બટાટા જેવા પાકમાં ભારે નુકશાન થવાની શક્યતાઓ  છે. જેથી ખેડૂતો વધુ વરસાદ ન થાય અને વાતાવરણ સુધરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.

(9:03 am IST)