Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો શહીદોના પરિવારજનોની વહારે :એક મહિનાનો પગાર આપશે

અમદાવાદ :પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહાય કરવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આગળ આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે. જેને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યો શહીદોને સહાય કરશે. આ મહત્વનો નિર્ણય કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવ્યો છે. જેને લઈને ધારાસભ્યો પોતાનો પગાર સૈનિકોના પરિવારજનોએ ને દાનમાં આપશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના ધારાસભ્યો દ્વારા પણ સહાયની જાહેરાત કરી હતી. પ્રદેશ ભાજપ એક કરોડનું ફંડ એકઠુ કરીને શહિદોના પરિવારજનોને આપશે. ભાજપના ધારાસભ્યો શહીદોને 50-50 હજારની સહાય કરશે.

(8:08 pm IST)