Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રાજ્યમાં કોરોના હાર્યો : વધુ 709 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત : મૃત્યુઆંક 4369 થયો : કુલ 2,46,516 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 103 કેસ, સુરતમાં 92 કેસ,વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 65 કેસ, જામનગરમાં 19 કેસ, મહેસાણા અને ગાંધીનગરમાં 14-14 કેસ, કચ્છમાં 11 કેસ, જૂનાગઢમાં 9 કેસ, ખેડામાં 8 કેસ, નોંધાયા : હાલમાં રાજ્યમાં 5967 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 485 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 709 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 709 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,46,516 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4369 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 95,98 થયો છે

  રાજ્યમાં હાલ 5967 એક્ટિવ કેસ છે. જેમાંથી 52 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 5915 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 2 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 485 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 103 કેસ, સુરતમાં 92 કેસ,વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 65 કેસ, જામનગરમાં 19 કેસ, મહેસાણા અને ગાંધીનગરમાં 14-14 કેસ, કચ્છમાં 11 કેસ,જૂનાગઢમાં 9 કેસ,ખેડામાં 8 કેસ, નોંધાયા છે

(7:37 pm IST)