Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર : કહ્યું --સરકાર વર્ગવિગ્રહણ કરવાનું ષડ્યંત્ર રચે છે

રકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે.: હવે મેરીટના નામે નવું કૌભાંડ ચાલી રહ્યું છે.

અમદાવાદ : એલઆરડી મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, સરકાર વર્ગવિગ્રહણ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. એલઆરડી અંગે આંદોલન કરવામાં આવી રહ્યા છે. તેમ છતા કોઈપણ પ્રકારનું નિવારણ લાવવામાં આવ્યુ નથી

 . અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ભરતી પ્રક્રિયા ના નામે નાટક ચાલે છે. ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને હવે મેરીટના નામે નવું કૌભાંડ ચાલી રહ્યું છે. જેથી આ મામલે સીએમ રૂપાણીએ જવાબ આપવો જોઈએ.

 
(12:10 am IST)