Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નમામિ દેવી નર્મદે ;પાણી માટે ખેડૂતો બોલાવશે મહાપંચાયત

સાણંદ,બાવળા ને ધોળકાના ખેડૂતોએ વાસણા ગામે મિટિંગમાં કર્યો નિર્ણય

 

અમદાવાદ;નર્મદાના પાણી સિંચાઈ માટે નહિ આપવાના નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકાના ખેડૂતોને સરકાર ખેતી માટે પાણી આપતી હોવાનો આરોપ મુક્યો છે  બાવળાના ખેડૂતોએ સાણંદ અને ધોળકાના અન્ય ખેડૂતોનો સંપર્ક કરીને વાસણા ગામે બેઠક કરી હતી જેમાં આગામી દિવસોમાં પાણી માટે મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કરાયું હતુ.

  અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમમાં પાણીના જથ્થાનો પુરતો સંગ્રહ થયો હોવાનું બહાનુ આગળ કરીને સરકાર દ્વારા આગામી ઉનાળુ પાકની સિંચાઇ માટે પાણી નહીં આ૫વાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવા સમયે હવે ગામડાના ખેડૂતો એક થઇને સરકાર સામે મોરચો માંડવાના મુડમાં આવી ગયા છે.

(11:04 pm IST)