Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ભરૂચમાં ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં પ્રોટોકોલ જળવાતો નહીં હોવાનું કહી તાલુકા પંચાયત પ્રમુખ ચાલ્યા ગયા

આ કોઈ વહીવટી કાર્યક્રમ નહોતો ;પ્રમુખ આવતા તલાટી કમ મંત્રીઓએ ઉભા થવું જોઈએ તેવો કોઈ પ્રોટોકોલ નથી ;ધારાસભ્ય દુષ્યન્તભાઈ પટેલ

 

ભરૂચ ;ભરૂચમાં ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં પ્રોટોકોલ જળવાતો નહિ હોવાનું કહીને તાલુકા પંચાયત પ્રમુખ નસીમબેન નબીપુરવાળા કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા તાલુકા પંચાયતમાં તલાટી મંડળ દ્વારા ધારાસભ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો.જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને વાગરાના ધારસભ્ય અરૂણસિંહનું સન્માન કરાયું હતું

   સન્માન સમાંરભમાં ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નસીમબેન નબીપુરવાલા પહોંચ્યા હતાં.પરંતુ પ્રોટોકોલની જાળવણી થતી હોવાનું કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને અંગે વિધાનસભામાં સુધી રજૂઆત કરવા જશે તેમ કહ્યુ હતુ

  દરમિયાન વિવાદ અંગે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કહ્યુ કે કોઈ વહીવટી કાર્યક્રમ નહોતો. તાલુકા પંચાયત પ્રમુખ આવતા તલાટી કમ મંત્રીઓએ ઉભા થવુ જોઈએ તેવો કોઇ પ્રોટોકોલ નથી અને તેની અપેક્ષા પણ રાખવી જોઈએ.

(9:37 pm IST)