Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

હિંમતનગર અને માલપુરના ઢુંઢરવાડીમાં સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સાબરકાંઠા:જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર '' ડિવિઝન વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષિય પરિણીતાએ ગળાફાંસો ખાઈને જીવતર ટૂંકાવી લીધું હતું. જ્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઢુંઢરવાવડી ગામની તળાવમં ઝંપલાવીને પાંત્રીસ વર્ષિય પરિણીતાએ મોતને ગળે વળગાડી લીધું હતું. આ બન્ને કરૂણ ઘટનામાં સાસરીયા દ્વારા યેનકેન પ્રકારે આપવામાં આવી રહેલા શારીરિક તથા માનસિક ત્રાસથી તંગ આવી ગયેલ બન્ને સ્ત્રીઓએ આખરે આત્મહત્યા કરી લીધી હોવાનો આક્ષેપ કરતી ગઇકાલે ફરિયાદ થતાં પોલીસે મુખ્યત્વે ઇ.પી.કો. કલમ ૩૦૬ તથા ૪૯૮ (ક) હેઠળ ગૂનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રહેતા વર્ષાબેન સુરેશભાઈ પંચાલે તેમની ૨૪ વર્ષીય પરિણીત પુત્રી રિદ્ધિએ ગઈકાલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં હિંમતનગર '' ડીવીઝન પોલીસ મથકમાં મહેસાણા જિલ્લાના નગરની મહાદેવનગર સોસાયટીમાં રહેતા મૃતક રિદ્ધિના પતિ તથા સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેના આધારે હિંમતનગર '' ડીવીઝન પોલીસે (૧) પતિ જીતેન્દ્ર ચંદ્રકાન્ત પંચાલ તથા (૨) સાસુ ભગવતીબેન ચંદ્રકાન્ત પંચાલના વિરુદ્ધ ગૂનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)