Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાટણના સમી તાલુકાના ૬ર ગામડાના તલાટી મંત્રીઓનો મહેસુલી કામગીરીનો બહિષ્કાર

સમી તાલુકાભરના ૬૨ જેટલા તલાટી કમ મંત્રીઓએ તેઓની પડતર માંગણીઓ નહિ સંતોષાતા મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજુઆત કરી હતી કે અનેક વખત રજુઆતો છતા પ્રશ્નો ઉકેલાયા નથી પરીણામે હડતાલની ફરજ પડી છે. તલાટીઓના બહિષ્કારને પગલે ગ્રામજનોના અનેક કામો અટકી પડયા હતા.

(5:55 pm IST)