Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગુજરાત : રહેણાંક સ્ટ્રક્ચર તુટવાથી કુલ ૧૧૪નાં મોત

સમગ્ર દેશમાં સ્ટ્રક્ચર તુટવાથી ૧૧૩૨ના મોત : અમદાવાદમાં ૧૧૮ પાણીની ટાંકી પૈકીની ૨૬ ભયજનક સ્થિતિમાં : ગંભીર અકસ્માતોના મામલામાં ગુજરાત ત્રીજા ક્રમાકે

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદમાં બોપલ , નિકોલ, ઘાટલોડિયા, પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટનામાં ચારથી વધુના મોત અને ૧૫થી વધુ લોકોને ગંભીર ઈજા તે રીતે જ વડોદરામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ રાજ્યમાં ભાજપ સરકારની બેદરકારી અને અસંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં કુલ ૧૯૧ પાણીની ટાંકીમાંથી ૧૧૮ પાણીની ટાંકી કાર્યરત છે. ૭૩ ટાંકીઓ બંધ પડેલ છે. કાર્યરત ૧૧૮ પાણીની તાકીમાંથી ૨૬ અતિ ભય જનક છે, વડોદરામાં ૨૯ પાણીની ટાંકીમાંથી ૪ પાણીની ટાંકી ભયજનક છે. જયારે જામનગરમાં ૬ પાણીની ટાંકી માંથી ૩ પાણીની ટાંકી અને ભાવનગરમાં ૮ પાણીની ટાંકીમાંથી ૧ પાણીની ટાંકી ભયજનક છે. રાજ્યમાં ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અંગે સમયસર સમારકામના અભાવે અને તંત્રની અનદેખીના પરિણામે ગંભીર અકસ્માતોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાકે છે.

                        "એક્સિડન્ટલ ડેથ, એન્ડ સુસાઇડ ઇન ઇન્ડિયા" ૨૦૧૬નો તાજેતરમાં જાહેર થયેલ અહેવાલનાં ચિંતાજનક આંકડાઓ રજુ કરતા કોંગ્રેસપક્ષનાં નેતા ડૉ.મનીષ દોશી (એન્જીનીયર) જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે બહાર પડેલ અહેવાલમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્ર શાસિત પ્રદેશના આંકલનમાં રહેણાંક વિસ્તારના સ્ટ્રક્ચર તુટી પડવાનાં કુલ ૧૦૪ બનાવોમાં ૧૧૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.સમગ્ર દેશ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાતનો ત્રીજો ક્રમાંક છે . જે ગુજરાત માટે ચેતવણીરૂપ છે ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં ૧૧૧૫ ઘટનામાં ૧૧૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રીજ, કોમર્શીયલ અને અન્ય સ્ટ્રકચરો તૂટી પડવાનાં કુલ ૧૫૨ બનાવોમાં ૧૬૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.સમગ્ર દેશમાં આવી દુર્ઘટનામાં ગુજરાત ચોથા ક્રમાંકે છે જે ગુજરાત માટે ચિંતાજનક છે. સ્ટ્રક્ચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં ૧૮૯૬ ઘટનામાં ૧૯૮૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાંધકામની મંજુરીમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર અટકાવી ગુજરાતમાં વિવિધ સત્તામંડળો અને ભાજપ સરકાર બાંધકામનાં નીતિનિયમોનું પાલન કરાવે, બાંધકામની ગુણવતાની પુરતી ચકાસણી કરવામાં આવે, રાજ્યમાં જર્જરિત મકાનો ભયજનક સ્ટ્રકચરો અંગે સમયસર સાવચેતીનાં પગલા ભરવામાં આવે જેથી કરીને કિમંતી માનવ જીવન બચાવી શકાય.

ગંભીર અકસ્માત.......

અમદાવાદ, તા. ૧૭ : સ્ટ્રક્ચર તુટી પડવાના બનાવો મામલે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે મોતના મામલામાં છે. આવી જ રીતે રહેણાંક સ્ટ્રક્ચર તુટી પડવાના મામલે ગુજરાત ત્રીજા ક્રમે છે. આંકડા નીચે મુજબ છે.

સ્ટ્રક્ચર તુટવાના બનાવો

રાજ્ય...................................................... કુલ મોત

ઉત્તરપ્રદેશ.................................................... ૨૯૯

મધ્યપ્રદેશ.................................................... ૨૮૪

મહારાષ્ટ્ર....................................................... ૨૧૭

રાજસ્થાન...................................................... ૧૬૮

ગુજરાત........................................................ ૧૬૮

રહેણાંક સ્ટ્રક્ચર તુટવાના બનાવો

ઉત્તરપ્રદેશ.................................................... ૨૨૬

મધ્યપ્રદેશ.................................................... ૨૦૬

ગુજરાત........................................................ ૧૧૪

(9:46 pm IST)