Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

નસવાડીમાં રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામ પ્યારેદાસ ત્યાગીની હત્યા

ખેતરમાં દબાણ અંગે અદાવત રાખીને આઠથી દસ શખ્સોએ બેટ અને લાકડીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી

નસવાડીમાં રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામ પ્યારેદાસ ત્યાગીની હત્યા થઈ છે. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યક્તિઓએ હુલ્લડ મચાવ્યો હતો.બેટ અને લાકડીના ફટકા મારીને મંહતને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

  મહંતને ગંભીર હાલતમાં 108 મારફતે રાજપીપલા સિવિલમાં ખસેડાયા હતા. જેમનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ મામલે ગોપાલપુરાના યશપાલસિંહ ગોહિલ સહિત અન્ય 10 સામે ફરિયાદ દાખલ થઈ છે.

 રાજપીપળા પોલીસે પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:18 pm IST)