Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

અમદાવાદ :પીરાણાનો કચરાનો મહાકાય ડુંગર :પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ

સુએઝ ફાર્મની 84 એકર જમીનમાં 80 લાખ મેટ્રિક ટન કચરાનો ડુંગર ક્યાંક 80 ફૂટ તો ક્યાંક 140 ફૂટ ઊંચો

અમદાવાદ :પીરાણાંનો કચરાનો ડુંગર પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ છે  સુએઝ ફાર્મની ૮૪ એકર જમીનમાં પથરાયેલો ૮૦ લાખ મેટ્રીક ટન કચરાનો મહાકાય ડુંગર ક્યાંક ૮૦ ફૂટ તો ક્યાંક ૧૪૦ ફૂટથી પણ વધુ ઊંચો છે.

   શહેરમાંથી રોજ નીકળતા ૩૮૦૦ ટન કચરામાંથી મોટાભાગનો ત્યાં ડમ્પ થાય છે. હાલ ૧૦૦૦થી ૧૨૦૦ ટન જેટલાં કચરાનું પ્રોસેસીંગ થઇ શકે છે. આ ડુંગરના કારણે પીરાણાં વિસ્તારનું હવામાન સતત ૩૨૫થી ઉપર વેરીપુઅરની કેટેગરીમાં રહે છે. મીથેન ગેસના કારણે કચરાના ઢગલામાં રોજેરોજ આગ લાગતા ચારે તરફ ધુમાડો પ્રસરે છે.

 પીરાણાના કચરાના ડુંગર અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જુદાં જુદા સમયે ૯ જેટલી નોટિસો મળી છે. આ અંગે મ્યુનિ. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વચ્ચે મીટીંગ પણ યોજવી પડી હતી.

(5:13 pm IST)