Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

વડોદરાઃ આર વી દેસાઈ રોડ પરના ખાંડેરાવ મંદિરના પરિસરમાં પથ્થર મૂકાવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 11ની ધરપકડ

 

વડોદરાઃ એક જ કોમના બે જૂથ વચ્ચે આર વી દેસાઈ રોડ પરના ખાંડેરાવ મંદિરમાં શનિવારે સવારે મંદિરમાં પથરા મૂકાવાની બાબતે ઝઘડો થઈ ગયો હતો. આ મામલે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં થયેલા પથ્થરમારામાં બે માણસોને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે શ્રી રાજસ્થાન મેટલ મર્ચન્ટ્સ વેલફેર એસોસિયેશન ટ્રસ્ટ જે આ જમીનની માલિકી ધરાવે છે તેમણે મંદિરના કમ્પાઉન્ડમાં પથ્થર નાંખવાનું કામ હાથ ધર્યું હતુ. આ કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું કારણ કે થોડા જ દિવસમાં હૉલમાં એક મિલન સમારોહનું આયોજન હતું.

શનિવારે સવારે 11 જણના એક ટોળા અભય પંડ્યા, શાના માળી, કૌશિક માળી, રાઈજી માળી, લાલા માળી, જગદીશ માળી, દિલીપ માળી, અનિલ માળી, અતુલ માળી, સુરેશ માળી અને રાજુ માળી મંદિરે ધસી ગયા હતા અને તેમણે પથ્થર મૂકાવા સામે વાંધો ઊઠાવ્યો હતો. તેમણે ફરિયાદી રાજેશ શાહ અને કોમના બીજા લોકોને મારવાનું શરૂ કરી દીધુ હતુ.

જ્યારે એ લોકો આમ તેમ ભાગવા માંડ્યા ત્યારે જૂથના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેમાં શાહને માથા પર વાગી ગયુ હતુ. આ ગાળામાં નવાપુરા પોલીસ સ્ટટેશનના પોલીસ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પંડ્યા, કૌશિક, શાના અને રાઈજીની ધરપકડ કરી હતી. તેમાંથી એક આરોપી લાલાને પણ ઈજા થઈ હતી અને તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપીને ટ્રસ્ટ પથ્થર મૂકાવતા હતા તેની સામે વાંધો હતો. ભૂતકાળમાં આરોપીઓએ મંદિરની માલિકીનો દાવો કર્યો હતો અને આ વાત કોર્ટ સુધી પહોંચી હતી. કોર્ટે ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બીજા લોકોને આ મંદિર કે તેની જમીન પર કોઈપણ પ્રકારનો અધિકાર ન જતાવવા માટે જણાવ્યું હતું. નવાપુરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી. કે રાવે જણાવ્યું, આરોપીઓએ થોડા દિવસ પહેલા પણ કામ શરુ થયું તયારે આવો ઈશ્યુ ઊભો કર્યો હતો. આજે તેમણે આ માટે હિંસાનો સહારો લીધો છે. તેમણે જે કર્યું છે તે કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હોવાથી અમે તેમની સામે રમખાણનો કેસ દાખલ કરીને ધરપકડ કરી છે.

(3:34 pm IST)