Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

નાંદોદના મહુડીપાડા ગામમાં નજીવી બાબતે લોખંડનો સળિયો મારી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના અકવાડા ગામના નયનભાઇ લાલસિંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તે તેમના મિત્રો સાથે મહુડીપાડા ગામના મિત્ર રાજેન્દ્રભાઇ કંચનભાઇ વસાવાને મુકવા માટે મહુડીપાડા ગામે ગયેલા ત્યાંથી પરત આવતી વખતે રોયજીભાઇ રાયજી ભાઇ વસાવા ગામના ભાગોળે લોખંડનો સળીયો લઇને ઉભો રહેલ અને ફરીયાદી તથા તેના મિત્રોને ઉભા રાખીને ગાળો બોલીને જણાવતો હતો કે, તમો રાજેન્દ્રભાઇને કેમ મુકવા આવેલ છો તેમ કહીને માથામાં લોખંડનો સળીયો મારી ઇજા કરી જ્યારે પ્રશાંતભાઇ મણી લાલ વસાવા તથા યોગેશભાઇ મહેશભાઇ વસાવાને પણ સળીયો મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ બાબતે આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:32 pm IST)