Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરતમાં આર્થિક સંકટથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત : 50 વર્ષીય મગનભાઈએ ગળેફાંસો ખાદ્યો

એક વર્ષથી બેકાર આધેડની બે દીકરીઓએ સિલાઇનું કામ કરી ગુજરાન ચલાવતી : પુત્રના ભણતર ખર્ચ પણ દીકરીઓ ભોગવતી

સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. પુનાગામ સ્થિત અર્જુન નગર સોસાયટીના વિભાગ બેમાં એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે.

 મળતી માહિતી મુજબ દુઃખદ પ્રસંગમાં ગયેલી પત્ની પોતાની બે દીકરી અને દિકરા સાથે ઘરે પરત ફરતા આઘેડ રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. 50 વર્ષના મગનભાઈ દુધાત નામના રત્નકલાકાર છેલ્લાં એક વર્ષથી બેકાર હતા. ત્યારે આર્થિક સમસ્યાથી કંટાળી અંતે આઘેડે આત્મહત્યા કરી છે.

 વધુમાં જાણવા મળ્યા મુજબ બે દીકરીઓ સિલાઈનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે 13 વર્ષનો ભાઈ અભ્યાસ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ભાઈના અભ્યાસનો ખર્ચો પણ બહેનોની કમાણીમાંથી કાઢવામાં આવતો હતો. આ પ્રકારના આર્થિક સંકટને કારણે ગળેફાંસો ખાધો હોવાનું મનાય છે ત્યારે આ સમગ્ર મામલે પુના પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:07 pm IST)