Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

શનિવારે વિરમગામ શહેરમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ અપાશે

વિરમગામ:  અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં તા,19 ને શનિવારે પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અનેક લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેશે. રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે પાંચમા તબક્ક્ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે

  . રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે, પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ (તબક્કો 5) અંતર્ગત વિરમગામ શહેરમાં નગરપાલીકા ખાતે શનિવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

   વિરમગામ નગરપાલીકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ નો 5 મો તબક્કો તારીખ 19ના રોજ  સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરી ખાતે સવારે 9 કલાક થી 5 વાગ્યા સુધીમાં વિરમગામ રાખેલ છે. તેમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, માઁ વાત્સલ્ય કાર્ડ, આઘાર કાર્ડ, વૃધ્ધ પેન્શન, જન્મ મરણ ના દાખલા, આવકના દાખલા, મામાલતદારના આવકના દાખલા વગરે અનેક યોજનાઓ ત્યાંથી જ કાઢી આપવામાં આવશે. રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે દરેક લાભાર્થીઓને લેવા વિનંતી છે.

(8:05 pm IST)