Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોત: સુરતમાં 3 કેસ વધુ નોંધાયા

ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત

વડોદરામાં સ્વાઈન ફ્લૂથી એક મહિલાનું મોત થયું છે. કરજણ તાલુકાના વલણ ગામની મહિલાનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. વડોદરામાં સ્વાઈન ફ્લૂથી કુલ આઠ લોકોના મોત થયા છે. જ્યારે સ્વાઈન ફ્લૂથી  કેસની સંખ્યા 95ને પાર પહોંચી છે.

ભાવનગરમાં પણ સ્વાઈન  ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત થયુ  છે. દર્દીને રેલવે હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો જે દરમિયાન સ્વાઈન ફ્લૂ દર્દીને ભરખી  ગયો હતો.

 સુરતમાં સ્વાઈન ફ્લૂના વધુ 3 કેસ નોંધાવાયા છે. જેથી સ્વાઈન ફ્લૂના કેસનો આંક 109 પર પોહચ્યો છે. સુરતના ઉમરા વિસ્તારમાં 3 માસના બાળક, નાનપુરાની 67 વર્ષીય માહિલનાને અને આનંદ મહલ રોડની 64 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સુરતમાં હાલમાં કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

(10:31 pm IST)