Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આણંદમાં યુવક-યુવતી અચાનક ગૂમ થઇ જતા તપાસ શરૂ

આણંદ: શહેરના લોટીયા ભાગોળ હરિજનવાસમાં રહેતી નીકિતાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા (ઉ. વ. ૨૨)ગત ૭મી તારીખના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. જ્યારે નાવલી ગામે રહેતા અજયભાઈ શૈલેષભાઈ પરમાર (ઉ. વ. ૨૬)ગત ૧૧મી તારીખના રોજ સવારના ૧૧ કલાકે કોઈપણ કારણોસર ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ ગયા હતા. આ અંગે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(5:45 pm IST)