Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સિંહોની સારવાર માટે અમેરિકન રસી અસરકારક છે ??:ધાનાણીએ લખ્યો મુખ્યમંત્રી રૂપાણીને પત્ર

ગાંધીનગર : સિંહોના મોત મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે અને  સિંહોની સારવાર માટે અમેરિકન રસી અસરકારક છે?, આ રસી આપણી પાસે કેમ ઉપલબ્ધ નથી તેવા સવાલ કર્યા છે

   પરેશ ધાનાણીએ વધુમાં સિંહોને બચાવવા પુરતી તકેદારી ન રખાઈ હોવાનું કહીને સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ, તેમ છતાં સિંહોનું સંરક્ષણ ન થયું હોવાનો વસવસો વ્યકત કર્યો છે

(4:23 pm IST)