Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કરજણના બામણગામના નાળા પાસે અજાણ્યા વાહનની ઠોકરે યુપીના બે લોકોના કરૂણમોત

પાવાગઢ માતાજીના દર્શન કરી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો

કરજણ ;નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા કરજણના બામણગામના નાળા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ પર સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.

  મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાનાં બામણગામના નાળા પાસે પાવાગઢ મહાકાળી મંદિરના દર્શન કરી પરત ફરી રહેલા મુળ ઉત્તરપ્રદેશના હાલ સુરત ખાતે રહેતા વિકાસ કુમાર શ્રીકાંત શર્મા તેમજ સુહારસિંગ ફેરનસિંહ યાદવનાઓને કોઇ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી નંબર વગરની નવી હિરો પેશન પ્રો મોટરબાઇક સાથે અથાડતા મોટરબાઇક સવારોને થયેલી ગંભીર ઇજાઓના કારણે વિકાસકુમાર શ્રીકાંત શર્મા તથા સુહારસિંગ ફેરનસિંહ યાદવનાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

અકસ્માત સંદર્ભે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહનચાલકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:43 pm IST)