Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પ્રાતિજના કાલીપુરામાં ભવ્ય લોકમેળો યોજાયો : માં કાલિકાના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી

નવરાત્રી આઠમ નીમિત્તે પ્રાંતિજ તાલુકાના મા કાલીકાના ધામ કાલીપુરા ગામમાં ભરાતા લોક મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અને મા કાલીકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સાબરકાંઠાના પ્રાંતિજના કાલીપુરામાં આવેલુ મહાકાલિનું મંદિર અહીં સાતમ અને આઠમનો ભવ્ય લોક મેળો યોજાય છે. અને મેળાને મ્હાલવા માટે દૂર દૂરથી લોકો કાલીપુરામાં  આવે છે. ભક્તો તેમના બાળકો અને પશુધનની સુરક્ષા માટે માનેલો ગરબો માના ચરણોમાં મુકીને માનતા પુરી કરે છે.

(11:35 pm IST)