Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પી.એમ.ના 71માં જન્મ દિવસે જિયોરપાટી ગામે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તારીખ 17 સપ્ટેમ્બરના રોજ  દેશના લોકલાડીલા વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે જ્યોરપાર્ટી ગામે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ વસાવા તેમજ ગામના આગેવાન ભાવેશભાઈ ભટ્ટ જિગરભાઈ ભટ્ટ બીપીનભાઈ બારીયા તેમજ ગામના માજી સરપંચ દશરથ ભાઈ તડવી ગ્રામજનો જોડાયાં હતા.

 

(10:20 am IST)