Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમદાવાદ: હિંમતનગર શામળાજી હાઇવે નજીક ગમખ્વાર અકસ્માત: ઇકો કારે અજાણ્યા રાહદારીને હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

અમદાવાદ:હિંમતનગર શામળાજી હાઈવે ઉપર સરવણા ગામની સીમમાં  આજે વધુ એક માર્ગ અકસ્માતમાં એક અજાણ્યા રાહદારીનું ઈકોની ટક્કરથી  મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતી. આજે સવારે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં ગંભોઈ પાસે ચાલતા જતા આશરે ૬૫ વર્ષની વયના અજાણ્યા રાહદરીને  ઇકોના ચાલકે અડફેટમાં લેતા તેના શરીરે જીવલેણ ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં  જ ૧૦૮ ઇમરજન્સી સેવાવાન  ઘટના સ્થળે આવી પહોંચી હતી પણ રાહદારીનું સ્થળ ઉપર જ મોત થયું હોઈ ગંભોઈ પોલિસે પોસ્ટમોટર્મ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતનો બનાવ સંદેભે ઇકોના ચાલક વિરૃદ્ધ ગુનો નોંધાતા ગાંભોઈ  પોલીસ મથકના હે.કો. મહેશભાઈએ આ ઘટનામાં ફરાર ઇકો ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(5:32 pm IST)