Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુરતના પાંડેસરામાં અગમ્ય કારણોસર આધેડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત:પ્રાપ્ત વિગત મુજબ પાંડેસરાના ગીતા નગરમાં રહેતા 48 વર્ષીય અમિતભાઈ છન્નાના પ્રસાદ ગુરૂવારે સાંજે ઘરમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, અમિતભાઈ ઉત્તર પ્રદેશના બાદાના વતની હતા. તે પાંડેસરાની મિલમાં નોકરી કરતા હતા છતા તેને નાણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)