Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુરતમાં રેલવે સ્ટેશન - બસ સ્ટેશનથી મળ્યા 128 કોરોના પોઝિટિવ મુસાફરો

પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો :સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ વધૂ

સુરત : સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા છે, મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ ટેસ્ટ કરાયા, જે પૈકી અંદાજે 1.4 થી 1.7 ટકા લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી 103 મુસાફરો ગુજરાતના અન્ય જીલ્લાઓ માંથી આવ્યા હતા,

 

સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ વધારે જોવા મળ્યો હોવાનુ આ તારણોમાંથી સામે આવી રહ્યું છે. જો કે, સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી બે સપ્તાહમાં બિહારના 2 , ઝારખંડના 1, મહારાષ્ટ્રનાં 8, રાજસ્થાનનાં 2, ઉત્તર પ્રદેશના 12 મુસાફરો પોઝીટીવ આવતા તેમને પણ કોરેન્ટાઇન કરાયા હતા.

(11:48 am IST)