Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાટીદાર નેતા અશ્વિન સાંકડસરિયા વિરુદ્ધ કાજલ ઓઝા વૈદ્યએ બદનક્ષીનો દાવો માંડ્યો: 19મીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાનો મામલો કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો

અમદાવાદ : જાણિતા પાટિદાર નેતા અશ્વિન સાંકડસરિયા વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. બદનક્ષીનો આ દાવો ગુજરાતના જાણિતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ કર્યો છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કાજલ ઓઝા વૈદ્યએ બદનક્ષીનો દાવો કર્યો છે. જે બાદ કોર્ટે અશ્વિન સાંકડસરિયાને તાત્કાલીક નોટિસ જાહેર કરી દીધી છે. સાથે આવતીકાલ એટલે 19 તારીખે કોર્ટમાં હાજર રહેવા પણ આદેશ કરાયો છે.

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બાબતે આ મામલો કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે.

(10:59 pm IST)