Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મહેમદાવાદ તાલુકા નજીક ટ્રક-રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત: પતિ-પત્ની સહીત ત્રણના કમકમાટીભર્યા મોત: 2થી વધુને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

મહેમદાવાદ:તાલુકાના પથાવત પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક અને રીક્ષા વચ્ચે ગોજારો અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં કુલ ૩ વ્યક્તિઓના મોત થયા હતા.જ્યારે બાકીના ૨થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

પથાવત ગામે આજે બપોર ૨ઃ૦૦ વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો.એક ટ્રક હલદરવાસ ચોકડી તરફ જઇ રહ્યો હતા તે સમયે અકસ્માતમાં  સર્જાયો હતો.જ્યારે રીક્ષા પથાવત તરફ જઇ રહી હતી તે સમયે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.આ ગોજારા અકસ્માતમાં ગૌરીબેન રણજીતભાઇ ચૌહાણ  અને જીનલબેન રણજીતસિંહ ચૌહાણનુ ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ.જ્યારે રીક્ષા ડ્રાઇવર વિઠ્ઠલસિંહ કાળુસિંહ ડાભી ગંભીર રીતે ધવાયા હતા. 

(5:37 pm IST)