Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

મણિનગર વિસ્તારમાં લોકો દ્વારા ટ્રાફિકના નવા નિયમો વિરુદ્ધ આંદોલન શરૂ

 

અમદાવાદ : ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવામાં આવે તેવી માંગ સાથે અમદાવાદમાં  આંદોલનની શરૂઆત થઈ છે. મણિનગર વિસ્તારમાં લોકો દ્વારા ટ્રાફિકના નવા નિયમો વિરુદ્ધ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

   . લોકોની માંગ છે કે નવા ટ્રાફિકના નિયમોની સામેની લડતની સાથે ખરાબ રોડ રસ્તાને બરાબર કરવામાં આવે. રાજકારણીઓ નિયમોનું પહેલા પાલન કરે, ટ્રાફિક પોલીસમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે. એટલું નહીં ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરવા છતાં જો અકસ્માત થાય તે વાહન ચાલકને સરકાર પાંચ લાખનું વળતર આપે. સરકાર સામે ટ્રાફિક નિયમો વિરુદ્ધ આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ દ્વારા આંદોલનમાં જોડાવા માંગતા લોકો માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

(12:03 am IST)