Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રામાપીરનો સંઘ લઈ જતા વટવાના પદયાત્રીઓ પર ટ્રેલર ફરી વળતાં ત્રણનાં મોત

વીરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટિયા નજીક આજે વહેલી સવારે ટ્રેલરચાલકે રામાપીરનો સંઘ લઇ જતા પદયાત્રીઓને અડફેટે લેતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચારને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં વીરમગામ રૂરલ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી.

(5:48 pm IST)